ઉંબર ને બારણા ને કે..
Feb 26
ગઝલ Comments Off on ઉંબર ને બારણા ને કે..
ઉંબર ને બારણા ને કે ના ટોડલાને પૂછ,
ઘરમાં ઉદાસી કેમ છે ખાલીપણા ને પૂછ.
રણ તો કહેશે કેટલાં હરણાં ઢળી પડ્યાં,
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવા ને પૂછ.
ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું,
પંખી હતું કે પૂર હતું એ પાંદડાને પૂછ.
-મનોજ ખંડેરિયા
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન: આલાપ દેસાઈ