ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા
Jul 01
ગઝલ Comments Off on ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા
[wonderplugin_audio id=”290″]
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
– અમૃત ઘાયલ
સ્વર : મનહર ઉધાસ