…મારો અભાવ છે! – વીરુ પુરોહિત
May 05
ગઝલ Comments Off on …મારો અભાવ છે! – વીરુ પુરોહિત
જો ગામના દરેક ઘરમાં શૂન્યભાવ છે;
છે અર્થઘટન એ જ કે મારો અભાવ છે!
એ મુકત છે, વહી શકે, એનો સ્વભાવ છે!
મારી અિવચલ ચેતના મારો વિભાવ છે!
છે રકતમાં પ્રચંડ ધ્વિન, તે સુણું સતત;
કલશોર ફકત કાનનો નમણો બચાવ છે!
એકાંત હોય કે નગરની ભીડ હોય છે,
હું વ્યકત છું, બધે સ્થળે બમણો પ્રભાવ છે!
તું ખેંચ મા પરિબિડયું એક્કેય રંગનું,
સઘળા જ રંગથી તને સરખો લગાવ છે!
– વીરુ પુરોહિત