શ્રાવણ હશે તો ચાલશે ! – ભરત ભટ્ટ ‘તરલ’
Jul 18
ગઝલ ગઝલ, ભરત ભટ્ટ 'તરલ' Comments Off on શ્રાવણ હશે તો ચાલશે ! – ભરત ભટ્ટ ‘તરલ’
કોઈ પણ કારણ હશે તો ચાલશે !
સાવ સુક્કું રણ હસે તો ચાલશે !
આ હ્રદયના બારસાખે મૂકવા;
આંસુનું તોરણ હશે તો ચાલશે !
રંગની મારે કશી પરવા નથી;
એકલો ફાગણ હશે તો ચાલશે !
સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ;
આંખમાં શ્રાવણ હશે તો ચાલશે !
તું યુગોની જિંદગી જીવે ભલે;
પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે !
ભરત ભટ્ટ ‘તરલ’