મારું જીવન તે મારી વાણી;
બીજું તે તો ઝાકળપાણી.

મારા શબ્દો ભલે નાશ પામો,
કાળઉદર માંહી વિરામો,
મારાં કૃત્ય બોલી રહે તોય
જગે કેવળ સત્યનો જય.

મારો એ જ ટકો આચાર,
જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ;
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી ?
એને મળી રહેશે એના ગાંધી.

જન્મી પામવો મુક્ત સ્વ-દેશ.
મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન :પરેશ ભટ્ટ