“કલા સાધકોને વંદન” – સ્વરાંજલિ… તુષાર શુક્લ

સ્વરશબદમાં ઊતાર્યા હૈયાના ભાવમ્પંદન
સ્વરશબ્દના દિવંગત સહુ કલા સાધકોને વંદન

તમે સૂરમાં જે છેડ્યા એ ગીત ગઝલ રહેશે
તમે શબ્દમાં જે ઝીલ્યા સંવેદનો એ રહેશે
સર્જનની એ સુગંધે હેકે છે મનનું ઉપવન
સ્વરશબ્દના દિવંગત સહુ કલા સાધકોને વંદન

રહેશો સદાય સાથે સર્જન અને સ્મરણમાં
બોલાવ્યા છે હરિએ,શાતા મળે શરણમાં
પીડાના દાહ હરવા સ્મરણો બન્યાં છે ચંદન
સ્વરશબ્દના દિવંગત સહુ કલા સાધકોને વંદન

-તુષાર શુક્લ

સ્વરઃ નિશીથ મહેતા
સ્વરાંકન : નિશીથ મહેતા
પિયાનો : કંદર્પ કાવિશકર