ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
Mar 24
ગઝલ Comments Off on ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.
મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.
મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !
સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?
– જવાહર બક્ષી
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ
સૌજન્ય : પ્રણય વસાવડા