મૃત્યુ પછી ની વાટ
Apr 16
ગઝલ Comments Off on મૃત્યુ પછી ની વાટ
મૃત્યુ પછી ની વાટ વિકટ ના બનાવજો
મારા મરણ માં કોઈ ન આંસુ વહાવજો
બાળક ને એક બે ની રજુઆત ના ગમે
તો એને મારા સુખ ના પ્રસંગો ગણાવજો
ત્યાંથી કદાચ મારે અટકી પણ જવું પડે
મારી કશી એ વાત ને મન માં ન લાવજો
કહે છે તમારું સ્થાન નથી ક્યાંય પણ નજીક
મકતા થી આ વિધાન ને ખોટું ઠરાવજો
– નઝીર ભારતી
સ્વર : મનહર ઉધાસ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય