મૃત્યુ પછી ની વાટ વિકટ ના બનાવજો
મારા મરણ માં કોઈ ન આંસુ વહાવજો

બાળક ને એક બે ની રજુઆત ના ગમે
તો એને મારા સુખ ના પ્રસંગો ગણાવજો

ત્યાંથી કદાચ મારે અટકી પણ જવું પડે
મારી કશી એ વાત ને મન માં ન લાવજો

કહે છે તમારું સ્થાન નથી ક્યાંય પણ નજીક
મકતા થી આ વિધાન ને ખોટું ઠરાવજો

– નઝીર ભારતી

 
સ્વર : મનહર ઉધાસ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય