આંખમાંથી શું ઝરે છે

Comments Off on આંખમાંથી શું ઝરે છે

 

 

આંખમાંથી  શું  ઝરે  છે  શી ખબર
જે  દિવસ  છોડી  દીધું તારું નગર

એક પળ  તારા વિના ના  રહી શકું
તું   રહે  આરામથી   મારા    વગર

જીવથી   એને   વધુ     ચાહીશ  હું
લાવશે  તારા   મિલનની  જે  ખબર

લાગણી    મારી    છે  આયુર્વેદ  શી
એટલે    મોડી    તને   થશે   અસર

હોત    તું   પથ્થર   તો સારું થાત કે
હું   તને   પૂજી  શકત પૂછ્યા  વગર

– મુકેશ જોષી

સ્વર : આલાપ દેસાઈ

 

વૈષ્ણવજન તો તેને રે કહીયે

Comments Off on વૈષ્ણવજન તો તેને રે કહીયે

 

 

વૈષ્ણવજન   તો   તેને  રે  કહીયે  જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે  ઉપકાર કરે તોયે  મન  અભિમાન  ન  આણે  રે

સકળ   લોકમાં   સહુને   વંદે   નિંદા   ન   કરે     કેની   રે
વાચ  કાછ  મન  નિશ્ચલ  રાખે  ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને     તૃષ્ણા   ત્યાગી    પરસ્ત્રી   જેને    માત   રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન  નવ  ઝાલે  હાથ  રે

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ  વૈરાગ્ય  જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના  તનમાં રે

વણલોભી  ને   કપટ  રહિત  છે  કામ  ક્રોધ   નિવાર્યા  રે
ભણે  નરસૈયો  તેનું  દર્શન  કરતા  કુળ ઈકોતેર તાર્યા રે

– નરસિંહ મહેતા

સ્વર : કૌશિકી ચક્રવતી

@Amit Trivedi