ભરત વિંઝુડા

 


Click the link below to download

kyarek koi lagnee ne.mp3

 

ક્યારેક   કોઈ  લાગણીને  પક્ષાઘાત   થાય ,
તો એવું કૈક   થાય કે અરધી જ વાત   થાય

તારો  ય   હોય  તો  કઈ  ઓર  વાત  થાય,
પોતાના હાથથી તો  ફક્ત આપઘાત થાય !

સૂરજ  ફર્યા  કરે   છે   અહીં    ગોળગોળ ને ,
ક્યારેક દિવસ થાય ને હરરોજ રાત  થાય !

રહી જાય છે બધી  ય  ઈજાઓ ત્વચા ઉપર ,
ને  એનું દુઃખવું  જ  ફક્ત આત્મસાત થાય !

શોધ્યાં  કરી  ખુશીની દવા છેક લગ “કવલ”
રડવાનું  દર્દ  થાય  અને  જન્મજાત થાય !

– ભરત વિંઝુડા

સ્વરાંકન : ડૉ ભરત પટેલ

સ્વર : પ્રિતી ગજ્જર