ઓસમાણ મીર

 

 

Click the link below to download

Esahara Koi kya samji shakyu.mp3

 
ઈશારા કોઈ  ક્યાં  સમજી  શક્યું  સંતો ફકીરોના
અંહીના માણસો  તો  માણસો   કેવળ  લકીરોનાં

કદી  કોઈક  જાગી  જાય  છે  એ  વાત  જુદી  છે
અહીં   ટોળાં  કદી ના  હોય  નાનકનાં  કબીરોનાં

ઊપરવાળો  ઘણું  દે  ને  ઘણું  છીનવી  લે પણ
હ્રુદય સાવજ અનોખા હોય છે ફક્કડ અમીરોનાં

ભલેને  ચાલ  નોખી  એમની  સ્હેજેય  ના લાગે
પરંતુ  આભમાં પગલાં પડે     દરવેશ  પીરોનાં

ઈશારા કોઈ ક્યાં સમજી   શક્યું સંતો ફકીરોના
અંહીના  માણસો  તો માણસો કેવળ લકીરોનાં

– હરિશ્ચંદ્ર જોશી

સ્વર : ઓસમાણ મીર