રઈશ મનીઆર
 
રઈશ મનીઆર વિષે વધુ વાંચવા click કરો : રઈશ મનીઆર
 


 
Click the link below to download :

Kinarao Alag Rahi Ne.mp3

કિનારાઓ   અલગ  રહીને  ઝરણને   જીવતું  રાખે ;
અલગતા  આપણી  એમ  જ  સ્મરણને જીવતું રાખે.

તળાવો    મૃગજળોના  જેમ  રણને    જીવતું  રાખે,
બસ  એ  જ  સ્વપ્ન  તારું એક જણને  જીવતું રાખે.

સમયના  સૂર્યનું  ચાલે તો  સળાગાવી  મૂકે સઘળું,
વ્યથાનાં   વાદળો   વાતાવરણને    જીવતું   રાખે.

કહો , એવી   હયાતીને   કોઈ   તકલીફ  શું  આપે ,
જે   અંદરથી  મરી  જઈ   આવરણને  જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો  વિસ્મરણના  ખુદ  સ્મરણા ને જીવતું રાખે.

‘રઈશ’  આ  દોસ્તો   તારા  અધૂરા  છે  શિકારીઓ,
ખૂપાવી  તીર  જે   અડધું ,  હરણને   જીવતું  રાખે.

-રઈશ મનીઆર

સ્વર : ધ્વનિત જોષી

સ્વરાંકન : ધ્વનિત જોષી