29
Apr
ગની દહીંવાલા
હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ?
ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ?
કે એ છલના નો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું
પડયાં તો છો પડ્યા,અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા
લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ?
ફલક પર જિંદગીના ભૂલથી ભટકયા ચલો મંજુર
ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું ?
‘ગની’ ગીતોની ટહુકાની તરહ બદલાય ઉદ્યાને
પુરાણી ડાળનાં પંખી બનીને બની બેસવાથી શું ?
- ગની દહીંવાલા
This entry was posted
on Wednesday, April 29th, 2009 at 4:55 am and is filed under ગઝલ.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

4 comments so far
Leave a reply