કાળ જુઓને અજગર જેવો ધીમે સરકતો જાય છે,
શ્વાસ બીજાં શ્વાસને   ભૂતકાળ  બનાવે  જાય   છે.

નાનું   સરખું   સુખ   મળે  તો  પણ રાજી થાઉ હવે,
મોટા દુઃખો મન આ મારૂં  પળમાં  વિસરી  જાય  છે.

સાગર, ધરતી, આભ રૂપાળી સુષ્ટિ પરના આવરણ,
સઘળાં   બંધન   તોડી   હૈયું  અવકાશે   ખેંચાય છે.

પંડિતોની    ભાષા   કહે   કે   ‘દેહ  છૂટે તો દેવ મળે’,
કાયામાં   છે  ઈશ્વર   તોયે   પથ્થર  પૂજે  જાય  છે.

– કમલેશ સોનાવાલા

સ્વર : ધનાશ્રી પંડિત
સ્વરાંકન : ઉદય મજુમદાર