2
May
ભરત ભટ્ટ ‘પવન’
આગની મર્યાદા ઉથાપે નહિં,
તાપણે બેસે ખરો, તાપે નહિં.
ભીંતમાં ઊગી ગયેલા વૃક્ષને,
ઘરધણી કારણ વિના કાપે નહિં.
જે નદીની જેમ ઢસડાયાં નથી
એ તળાવો રેત પણ આપે નહિં,
રોજ ઈચ્છાઓ મરે છે કેટલી !
એટલે અખબાર એ છાપે નહિં.
હા, દીવામાં તેલ ખૂટ્યું’તું ‘પવન’,
એ બુઝાયા કોઈના પાપે નહિં.
- ભરત ભટ્ટ ‘પવન’
This entry was posted
on Saturday, May 2nd, 2009 at 8:28 am and is filed under ગઝલ.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

4 comments so far
Leave a reply