વરસે છે મારી આંખથી શ્રાવણ હજી સુધી
ગૂંથું છું આસુંઓનાં હું તોરણ હજી સુધી.

દિલનાં ઝખમનો કેટલો ઉપચાર હું કરું?
એ ઘાવ રૂઝાતો નથી જરા પણ હજી સુધી.

દિલની વ્યથાનો ભેદ કહી દઉં કે ચૂપ રહું? ,
ડંખે છે આ સવાલ ને મુંઝવણ હજી સુધી.
 

-ખલીલ ધનતેજવી
 

સ્વર: ગાર્ગી વોરા
સ્વરાંકન: અજીત મર્ચન્ટ