તારાં સ્વજન તને જાય મૂકી તો,
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
તારી આશાલતા પડશે તૂટી ફૂલ ફળે એ ફાલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

માર્ગે તિમિર ઘોર ઘેરાશે એટલે શું તું અટકી જાશે
વારંવારે પેટાવે દીવો ખેર જો દીવો પેટશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

સુણી તારા મુખની વાણી વીંટળાશે વનવનનાં પ્રાણી
તોય પોતાના ઘરમાં તારે પ્હાણનાં હૈયાં ગળશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

બારણાં સામે બંધ મળે એટલે શું તું પાછો વળે
વારંવારે ઠેલવાં પડે, ખેર જો દ્વારો ખૂલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

રચયિતા અને સ્વરકાર (મૂળ બંગાળી): રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: મહાદેવભાઈ દેસાઈ

સ્વર : આરતી મુનશી
સ્વરાંકનઃ શ્યામલ, સૌમિલ મુનશી