Click the link below to download

Have Nahi Jau Jal Bharva.mp3

 

હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ;
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

વારે વારે જોઉં હું તો ભર્યા ભર્યા માટમાં ;
કાંઈ નથી ફેર પડ્યો તૃષ્ણાનાં ઘાટમાં !

કહાના વિના કોણ,કહો,હાથ મારે માખણે ?
હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ….

ભમરાએ કરી દીધા છેદ બધા વાંસમાં ;
વાયુ વાતા વાંસળીના સૂર ઊઠે રાતમાં !

ધાવતું વછોડી બાળ, દોડી જઉં આંગણે !
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

ઉધ્ધવજી ! ક્ષણેકમાં આપું નવનિધિ ;
ક્હાનો પાછો આણવાનો બતાવો જો વિધિ !,
હઠ કરે છોડી જવા, જીવ બાંધ્યો તાંતણે !

હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ;
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

– વીરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ