બંદગીની      રેશમી     સોગાતને
કેમ    હું   ભૂલી  શકું   એ  વાતને

એક  કારણ તો  મળે  પીડા  વિષે ,
રાત  આખી   હું   જગાડું   જાતને

એ વિચારો માત્રથી  ડર   લાગતો
ગામના   લોકો    ચગાવે   વાતને

લાગણી  બેફામ  દોડી  રગ  મહી
હૈયું   ભૂલી    જાય  એની  ઘાતને

ચાંદ લંબાવી દે આજે આ મિલન
મેં મનાવી  લીધી  છે  આ  રાતને

– અમિત ત્રિવેદી

સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ