નજર  મિલાવી  નજરથી   દિલને  લૂંટી   કોણ   ગયું?
ખીલી ન ખીલી કળિયો ત્યાં  તો   ચૂંટી   કોણ   ગયું?

ચાંદ-સિતારા સોગન તમને   સાફ   કહી   દો   આજે
પળ-બેપળનો   સાથ    દઈને   છુટી     કોણ    ગયું?

ખબર પડી ગઈ જગને ક્યાંથી મારા   દિલની   વાતો,
અરમાનો     સોગનથી   કહેજો    ફુટી    કોણ   ગયું?

“અમર” જવાની મરણતોલ થઈ ખબર પડી ના કાંઈ,
અમૃતની     વાટકીમાં    વિષ     ઘુંટી    કોણ   ગયું?

— અમર પાલનપુરી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન: દિલીપ ધોળકીયા

સૌજન્ય : અમિત ન. ત્રિવેદી (Ex Siemens )