લાગણીની વ્યગ્રતા છે ટેરવાં
Mar 26
ગઝલ Comments Off on લાગણીની વ્યગ્રતા છે ટેરવાં
થઈ શકે તો બસ ઉથલપાથલ કરો,
વનને વસ્તી શહેરને જંગલ કરો;
હો શીદને પત્થર ઉપાડો છો તમે,
પાંપણો ઉંચકો અને ઘાયલ કરો.
જયાં નિરંતર કોઈ નો પગરવ હશે
ત્યાં પ્રતિક્ષા નો સતત ઉત્સવ હશે
લાગણીની વ્યગ્રતા છે ટેરવાં.
બંધ દ્વારો ની વ્યથા છે ટેરવાં
શક્યતા સંબંધ ની એમાં હશે
એક બારી ની જગા છે ટેરવાં
આંખ માં ભીનાશ જે ઉભરી હતી
એ બધીએ પી ગયાં છે ટેરવાં
ભેદ જ્યાં જાણ્યો હથેળી નો પછી
સાવ મૂંગા થઈ ગયાં છે ટેરવાં
-કૈલાસ પંડિત
સ્વર: શેખર સેન
સંગીત : ગૌરાંગ વ્યાસ