Click the link below to download :

Kinarao Alag Rahi Ne.mp3
 
કિનારાઓ   અલગ  રહીને  ઝરણને   જીવતું  રાખે ;
અલગતા  આપણી  એમ  જ  સ્મરણને જીવતું રાખે.

તળાવો    મૃગજળોના  જેમ  રણને   જીવતું  રાખે,
બસ  એ  જ  સ્વપ્ન  તારું એક જણને જીવતું રાખે.

સમયના  સૂર્યનું  ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં   વાદળો   વાતાવરણને    જીવતું  રાખે.

કહો ,  એવી   હયાતીને   કોઈ   તકલીફ શું આપે ,
જે   અંદરથી  મરી  જઈ  આવરણને  જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો  વિસ્મરણના  ખુદ  સ્મરણા ને જીવતું રાખે.

‘રઈશ’  આ  દોસ્તો   તારા  અધૂરા  છે  શિકારીઓ,
ખૂપાવી  તીર  જે   અડધું ,  હરણને   જીવતું  રાખે.

-રઈશ મનીઆર