જેણે સત્કર્મની આ કઠિન રાહ પર , હામ હૈયે ધરી ઝંપલાવી દીધું;
એની મરજી મુજબનું જીવન આપવા,
ખુદ વિધાતાએ મસ્તક ઝુકાવી દીધું

કોઈની આંખમાં સ્નેહને આંજીએ ,
ને નિમિત્ત બનીએ એના આનંદનું;
આ વચનને જીવનમંત્ર જેને કર્યો,
તેણે આયુષ્ય એનું દિપાવી દીધું
જેણે સરકર્મની ….

મેઘલી રાતે સૌનો સહારો બને,
આગઝરની બપોરે જે છાંયો બને ;
ભરશિયાળે બને હૂંફ આતમ તણી ,
તેને ધરતી ઉપર સ્વર્ગ લાવી દીધું
જેણે સરકર્મની ….

– નીરજા પરીખ

સ્વારાંકન : ડો સમીર