સુરેન્દ્રસિંહ જાડેજા
Nov 14
ગઝલ Comments Off on સુરેન્દ્રસિંહ જાડેજા
આ કિનારે એ કિનારે હું જ છું
ચોખૂણે ને દિશ ચારે હું જ છું
સ્નાન કરવું હોય તો તું આવને
સ્વર્ગ છે ઝમઝમની ધારે હું જ છું
ફૂલ બનવાની તમન્ના હોય તો
બીજ થઈને આવ ક્યારે હું જ છું
મૌનના પડઘા ય સાંભળવા પડે
ને પછી જો ૐ કારે હું જ છું
ના પ્રતિક્ષા કે ટકોરાની જરૂર
સાવ ખુલ્લા છે ને દ્વારે હું જ છુ
– સુરેન્દ્રસિંહ જાડેજા