ડો ભરત પટેલ

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એક એક તંત

બે વત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઈ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઈશ્વર ભયભીત

કોઈ સાવ ધગધગતો લાવા કહેવાય
તો કોઈ નર્યા હોય શકે સંત

જાહેરમાં પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલેતો સૂરજને છત્રીથી છાવરીને
વિહરવાને નીકળે છે સાંઈ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એક એક તંત

– સંજુ વાળા

સ્વર : નિગમ ઉપાધ્યાય

સ્વરાંકન : ડો ભરત પટેલ