કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો

ઝાંઝવાં થૈને હરણ દોડી ગયાં
ને હરણને દોડવાને રણ ન હો

આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો

-ચિનુ મોદી

રાગ ચંદ્રપ્રભાચંદ્રપ્ર

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન – અમર ભટ્ટ