લાગણીની વ્યગ્રતા છે ટેરવાં
Dec 26
ગઝલ Comments Off on લાગણીની વ્યગ્રતા છે ટેરવાં
લાગણીની વ્યગ્રતા છે ટેરવાં,
બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં.
ખાનગી સંબંધના છે ખેપિયા,
ખૂબ જો કે બોલકાં છે ટેરવાં.
ભેદ પૂરા હાથનો જાણ્યા પછી,
રાત દિ’ જાગ્રત રહ્યા છે ટેરવાં.
આંખમાં ભીનાશ છે ઊભરી હતી,
એ બધીયે પી ગયા છે ટેરવાં.
હોઠમાં ખુશબૂ ભરી છે ફૂલની,
કેટલાં મઘમઘ થયાં છે ટેરવાં.
-કૈલાસ પંડિત
સ્વર : શેખર સેન
સ્વરાંકન : શેખર સેન