મધરાતે કોયલ બોલે, હ્રદયને ખોલે,
કોયલને કહેવું પણ શું ?

વ્હેતી કરાય નહીં અંગત કોઇ વાતને
જ્યાં ત્યાં પથરાય નહીં જળની બિછાતને
લાગણીને આમ કેમ ઢોળે , કોઇ ત્રાજવામાં તોલે
કોયલને કહેવું પણ શું ?

આપણી તે વેદનાને આપણે જ જાણવી
ભરોસો મુકાય એવો ક્યાં છે કોઇ માનવી ?
બંધ દરવાજા શાને ઢંઢોળે ને મૃગજળ ફંફોળે
કોયલને કહેવું પણ શું ?

-તુષાર શુક્લ