મૃત્યુ પછી ની વાટ વિકટ ના બનાવજો
Nov 13
ગઝલ Comments Off on મૃત્યુ પછી ની વાટ વિકટ ના બનાવજો
મૃત્યુ પછી ની વાટ વિકટ ના બનાવજો
મારા મરણ માં કોઈ ન આંસુ વહાવજો
બાળક ને એક બે ની રજુઆત ના ગમે
તો એને મારા સુખ ના પ્રસંગો ગણાવજો
ત્યાંથી કદાચ મારે અટકી પણ જવું પડે
મારી કશી એ વાત ને મન માં ન લાવજો
કહે છે તમારું સ્થાન નથી ક્યાંય પણ નજીક
મકતા થી આ વિધાન ને ખોટું ઠરાવજો
-નઝીર ભારતી
સ્વર : મનહર ઉધાસ
સ્વરાંકન : મનહર ઉધાસ