પ્રભુ વિના બીજે ક્યાંય સુખ નથી
સુખ છે તમારા ચરણો માં,…હો
શ્યામળિયા જી,

સુખ છે તમારા ચરણો માં
એ મારા ગુરુ એ કહ્યું કરણ માં,…હો
શ્યામળિયા જી,

જપ તપ તીરથ મારે ચારે પદારથ
એ સૌ આપના છે શરણો માં,…હો
શ્યામળિયા જી,

પ્રેમ કરીને હૃદયમંદિરે પધારો
ન જોશો જાત પાત વરણ મા,…હો
શ્યામળિયા જી,

બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ
આડે આવજો મારા મરણ માં,…હો
શ્યામળિયા જી,
 
-મીરાંબાઈ
 
સ્વર : વાણી જયરામ