હું મારી મરજીમાં નૈં
હરિજી, મુંને એવી મોહાડી ગયા, સૈ 

હું શું વરસું? હું શું રેલું? હું શું ઢોળું, તિયાં ?
મન મારું એક જળનો ખોબો – જગજીવન પી ગિયા 
સાટામાં મને સતપત ઉજાગરાઓ દૈ.

મીરાં કે પ્રભુ, રમવા આજ્યો ઉતાવળા રથ જોડી
 હું અરધી ચોપાટે પટમાં પડી રહેલ કોડી 
ખોબામાં તમે ઢાંકો, રમાડો મુંને લૈ.

-રમેશ પારેખ 

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : અમર ભટ્ટ