દે પ્રભુ આશિષ અમોને આવનારા વર્ષમાં,
ના ખૂટે હિંમત કદીપણ આકરા સંઘર્ષમાં.

દીપ ઝળહળતો રહે શ્રદ્ધા તણો મમ અંતરે,
વિસ્મરણ તારું કદી ના હો, પીડા કે હર્ષમાં.

મોકળા મનથી કરું હું વ્હાલ આખા વિશ્વને,
એટલી ચાહત ભરી દે આ હદયના પર્સમાં.

તેં દીધેલી સંપત્તી શક્તિ અને સદ્દબુદ્ધિનું,
હો સમર્પણ સર્વદા માનવ્યના ઉત્કર્ષમાં.

એટલું કર્તુત્વ દે, મળવા તને આવું પ્રભુ,
બે’ક તાંદુલની કમાણી હો જીવન નિષ્કર્ષમાં.

-કિશોર બારોટ