હું મારી મરજીમાં નૈ ‘હરિજી, મુંને એવી મોહાડી ગયા, સૈ

હું શું વરસું? હું શું રેલું? હું શું ઢોળું, તિયાં ?
મન મારું એક જળનો ખોબો – જગજીવન પી ગિયા
– સાટામાં મને સતપત ઉજાગરાઓ દૈ.

મીરાં કે પ્રભુ, રમવા આજ્યો ઉતાવળા રથ જોડી
હું અરધી ચોપાટે પટમાં પડી રહેલ કોડી
– ખોબામાં તમે ઢાંકો, રમાડો મુંને લૈ.

– રમેશ પારેખ

સ્વર: ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર